મુંબઈમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગવાની ઘટના બની છે. ગુરુવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક માહિતી મુજબ ટર્મિનલ-1ના બેઠક વિસ્તારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આગ કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. સદનસીબે આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ મર્યાદિત રહી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટર્મિનલની અંદર ગાઢ ધુમાડો દેખાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારની ચકાસણી કરવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





