ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ, વડોદરામાં બેઠક અને પાકિસ્તાની સંપર્કની તપાસ

રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ATSના જણાવ્યા મુજબ, આરોપીઓ ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઉભું કરવાની દિશામાં સક્રિય હતા. તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન
ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હોવાની અને તેની સૂચનાઓ મુજબ કામગીરી કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ATSના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી સામગ્રીમાં પાકિસ્તાની ધ્વજ સહિત કેટલાક ડિજિટલ દસ્તાવેજો અને ફાઇલોનો સમાવેશ થાય છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ
ATS દ્વારા નીચેના આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
– અહમદ અબ્દુલ્લા ગાજીવાલા
– ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
– મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા
– ઝકારિયા દુરાની
– મુફ્તિ ઇસ્માઇલ દૌવા ફૌજાન
– મોહમ્મદ અમીન શેરા
– મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
– બિલાલ મોહમ્મદ

ઉત્તર ગુજરાત સાથે કનેક્શનની તપાસ
ગુજરાત ATSના ડીઆઈજી (ઓપરેશન) સુનિલ જોશીએ જણાવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક લોકોના જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધોની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે આરોપીઓ વિવિધ સ્થળોએ રહેતા હતા અને દેશવિરોધી પ્રવૃત્તિઓના પ્રચાર તેમજ સંગઠનનું નેટવર્ક વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ ATS કચેરી લાવવામાં આવ્યા છે.

મોબાઇલમાંથી મળ્યું જેહાદી સાહિત્ય
ATSના જણાવ્યા અનુસાર, એક આરોપીના મોબાઇલ ફોનમાં એનક્રિપ્ટેડ એપ્લિકેશન મારફતે જેહાદી સાહિત્ય, ઓડિયો-વિડિયો, ફોટોગ્રાફ્સ અને જૈશ-એ-મોહમ્મદ સંબંધિત ડિજિટલ સામગ્રી મળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જપ્ત કરાયેલી તમામ સામગ્રીની વિગતવાર ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

ફંડિંગ અને વડોદરામાં બેઠકની પણ તપાસ
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આરોપીઓને આશરે ₹3 લાખનું ફંડિંગ મળ્યાની માહિતી મળી છે. ઉપરાંત, બે-ત્રણ મહિના પહેલાં વડોદરામાં સંગઠન સાથે જોડાયેલી એક બેઠક યોજાઈ હોવાની વિગતો પણ તપાસ હેઠળ છે. ATSનું કહેવું છે કે કેટલાક આરોપીઓ મદ્રેસામાં અભ્યાસ કરતા અથવા શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા હતા. જોકે, તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તમામ તથ્યોની કાયદેસરની પ્રક્રિયા મુજબ ચકાસણી કરવામાં આવી રહી છે.

 

 

 

 

  • Related Posts

    અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલાનો વધુ એક બનાવ, પંજાબી યુવક ગુરદીપ સિંહનું ગોળીબારમાં મોત

    અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી હિંસક ઘટનાઓ વચ્ચે ન્યૂયોર્કમાં વધુ એક ભારતીય યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં 27 વર્ષીય ગુરદીપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું છે. શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને લૂંટ સાથે જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ કેસની તપાસ ચાલી રહી છે અને રોડ-રેજની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ઈસ્ટ ન્યૂયોર્કના ક્રેસન્ટ સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપ સિંહને ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. તેમને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું…

    મોટા કંદોઈ, બેકરી અને કન્ફેક્શનરી માટે નવો નિયમ, 15 દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકાશે નહીં

    તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં ખાંડના ભાવમાં અચાનક વધારો અને સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ખાંડના મોટા જથ્થાબંધ વપરાશકારો માટે સ્ટોક મર્યાદા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ મોટા કંદોઈ, મીઠાઈ ઉત્પાદકો, બેકરી, બિસ્કિટ, કન્ફેક્શનરી, સોફ્ટ ડ્રિંક અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા એવા વ્યવસાયો, જેઓ દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરે છે, તેઓ હવે પોતાની 15 દિવસની જરૂરિયાત કરતાં વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. સરકારનો આ નિર્ણય ખાસ કરીને તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે. આ સમયગાળામાં મીઠાઈ, બિસ્કિટ, બેકરી ઉત્પાદનો, ઠંડા પીણાં અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. પરિણામે ખાંડની માંગ પણ…