સીઝફાયર વચ્ચે ઇઝરાયેલનો મોટો હુમલો, હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓ ઠાર

લેબનાનમાં જાહેર થયેલા સીઝફાયર છતાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ લેબનાનમાં ચલાવવામાં આવેલા ઓપરેશન દરમિયાન હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓ તેમજ અનેક કમાન્ડરોને ઠાર કરવામાં આવ્યા છે. IDF દ્વારા આ કાર્યવાહીનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર નિશાનાબંધ હવાઈ હુમલાઓ દેખાઈ રહ્યા છે.

સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ
ઇઝરાયેલનું કહેવું છે કે આ હુમલાઓ એવા તત્વો સામે કરવામાં આવ્યા હતા, જે ઇઝરાયેલના નાગરિકો અને સૈનિકો માટે સીધો ખતરો બની રહ્યા હતા. IDF એ જણાવ્યું કે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહની સૈન્ય ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે. ઇઝરાયેલના દાવા મુજબ, હવાઈ હુમલાઓ દરમિયાન હિઝબુલ્લાહના અનેક કમાન્ડ સેન્ટરો, હથિયાર ભંડારો અને મહત્વના સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા છે.

બેરૂતમાં તાજા હુમલાથી જાનહાનિ
બીજી તરફ, ગુરુવારે ઇઝરાયેલે બેરૂતના દક્ષિણ ઉપનગર દહિયેહ સહિત દક્ષિણ લેબનાનના અનેક વિસ્તારોમાં ફરી હુમલા કર્યા હતા. લેબનાનના આરોગ્ય મંત્રાલય અનુસાર, દહિયેહ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.
લેબનાન સરકારે આ હુમલાઓને સીઝફાયર કરારનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. વધતા હુમલાઓને કારણે વિસ્તારમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિસ્તારમાં વધ્યો તણાવ
સીઝફાયર બાદ પણ બંને પક્ષો વચ્ચે અથડામણો અને હવાઈ હુમલાઓ ચાલુ રહેતા મધ્ય પૂર્વમાં ફરી અસ્થિરતા વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા બંને પક્ષોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…