#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

    વડોદરાના સાવલીમાં સ્પેશિયલ પોકસો કોર્ટમાં સાવલી પોલીસમથકે ૨૦૨૫ દરમિયાન  નોંધાયેલ  સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી ને આજીવન કેદની સજા ફટકારી. આરોપી ભોગ બનનાર ૧૬ વર્ષ ની  સગીરાના માતા પિતા ઘરે હાજર ન હોય તે સમયે ઘરે જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના થી સગીરા ગર્ભવતી બની હતી. એક બાળકને તેણે જન્મ આપ્યો હતો. જેની ફરિયાદ સાવલી પોલીસમથકે ગુના રજીસ્ટર નમ્બર ૯૯૨/૨૦૨૫ માં નોંધાયો હતો.

આ પણ વાંચો –  OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

   નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં સંતોષકારક ચુકાદો આપ્યો હતો. આરોપી પ્રવીણભાઈ, ગોવિંદભાઈ પરમાર ને બનાવ સંબંધિત પુરાવા મેડિકલ સેમ્પલ ડી,એન,એ,એહવાલ તેમજ જુબાનીના આધારે ભારતીય ન્યાય સંહિતાની અલગઅલગ કલમ હેઠળ આજીવનકેદ એટલે કે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજા અને રૂપિયા ૭૫૦૦૦  પંચોતેર હજાર નો દંડ ફટકારવામાં આવેલ છે. સગીરા ને પુરતો ન્યાય મળ્યો અને દુષ્કર્મ અચનારને સજા મળી જેથી હવે જેથી  દુષ્કર્મ કરનાર ના મન માં ડર બનશે.

#Justices #Justice_ for _the_ minor #life #imprisonment_fine #accused_committed #atrocity

Follow us on

  • Related Posts

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…

    રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

    નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…