IPL 2025: ચેપોકમાં SRHનો ઐતિહાસિક વિજય, CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવ્યું

IPL 2025માં શુક્રવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેપોક સ્ટેડિયમમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતી CSKની ટીમ 20 ઓવરમાં 154 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો.

હર્ષલ પટેલની ઘાતક બોલિંગ
હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ લઈને ચેન્નઈની પારીને શરુઆતથી જ દબાણમાં મુકી દીધી. પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે પણ મહત્વપૂર્ણ 2-2 વિકેટ ઝડપી. મોહમ્મદ શમી અને કમિન્દુ મેન્ડિસે 1-1 વિકેટ મેળવીને દબદબો બનાવ્યો જવાબમાં, ઇશાન કિશને શાનદાર બેટિંગ કરી ટીમને વિજય સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે મહત્વપૂર્ણ રન બનાવી SRH માટે જીતનો રસ્તો સરળ કર્યો.

ચેન્નઈની સંઘર્ષભરી પારી
ચેન્નઈ માટે શેખ રશીદ અને શિવમ દુબે થોડી વખત ટકી શક્યા, પરંતુ SRHના બોલર્સ સામે તેઓ સતત દબાણમાં રહ્યા. ધોનીના નેતૃત્વમાં CSK ફરી એકવાર ઘરઆંગણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, અને આ પરાજય ટીમ માટે આ સિઝનમાં પહેલો નહીં, પરંતુ સાતમો પરાજય છે.

ચેન્નઈમાં SRHનો પહેલો વિજય
આ જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈના ચેપોક મેદાનમાં પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે, જે ટીમ માટે મોરાલ બૂસ્ટર સાબિત થશે. CSK માટે હવે દરેક મેચ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં પાછળ ધકાય રહ્યા છે.

પ્લેઈંગ ઇલેવન:

SRH: અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અનિકેત વર્મા, કમિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (c), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.
CSK: શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવીન્દ્ર જાડેજા, ડીવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (c/wk), દીપક હુડા, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *