ચીનના દાવાને ભારતનો કડક જવાબ : “ઇનકાર કરવાથી સત્ય બદલાતું નથી, અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે”

શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને લગભગ 18 કલાક સુધી અટકાવી રાખવાના મામલે ભારતે ચીનને કડક રાજદ્વારી જવાબ આપ્યો છે. ચીને અટકાયત કે કોઇ ઉત્પીડન ન કરવાનો ઇનકાર કર્યો હતો અને અરુણાચલ પ્રદેશને “જાંગનાન” તરીકે પોતાનો વિસ્તાર હોવાનું પુનરાવર્તિત કર્યું હતું. પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે ચીન જેટલો ઇનકાર કરે, તોય સત્ય બદલાતું નથી—અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.

MEA નો દૃઢ નિવેદન : “ચીનનો ઇનકાર હકીકત બદલશે નહીં”
વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે “અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ચીની પક્ષનો ઇનકાર આ વાસ્તવિકતા બદલતો નથી.” MEAએ વધુમાં જણાવ્યું કે મહિલા પાસે માન્ય ભારતીય પાસપોર્ટ હતો અને તે લંડનથી જાપાન મુસાફરી કરી રહી હતી ત્યારે શાંઘાઈ એરપોર્ટ પર તેને કોઇ કારણ વગર રોકી રાખવામાં આવી. ભારતએ આ મુદ્દો ચીન સમક્ષ કઠોર શબ્દોમાં ઉઠાવ્યો છે અને ચીન હજુ સુધી પોતાની કાર્યવાહીને લઈને સંતોષકારક સ્પષ્ટતા આપી શક્યું નથી.

શું છે આખો કેસ? મહિલાને 18 કલાક શા માટે અટકાવવામાં આવી?
યુકેમાં રહેતી અરુણાચલ પ્રદેશની ભારતીય નાગરિક પેમા વાંગજોમ થોંગડોક 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી. ટ્રાન્ઝિટ દરમિયાન ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના પાસપોર્ટને અમાન્ય ઠરાવ્યો કારણ આપ્યું કે તેમાં “અરુણાચલ પ્રદેશ” જન્મસ્થળ તરીકે લખેલું છે અને તેમને લગભગ 18 કલાક સુધી રોકી રાખ્યા. મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે 3 કલાકની ટ્રાન્ઝિટ મુસાફરી 18 કલાકના દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ. બાદમાં તેમણે ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કર્યો.

ભારતીય કોન્સ્યુલેટની હસ્તક્ષેપથી રાહત
શાંઘાઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે તાત્કાલિક મદદરૂપ થઈ અને મહિલાને જરૂરી સહાય પૂરી પાડી. ભારતીય સરકારે બેઇજિંગ અને દિલ્હીમાં ચીની દૂતાવાસ સમક્ષ આધિકારીક વિરોધ નોંધાવ્યો સ્પષ્ટ કર્યું કે અરુણાચલ નિઃશંકપણે ભારતનો ભાગ છે અને અરુણાચલના નાગરિકનો ભારતીય પાસપોર્ટ 100% માન્ય છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ ચીનની હરકતને “આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન અને ભારતીય નાગરિકનું અપમાન” ગણાવ્યું.

ચીનનો પ્રતિભાવ : “અમે કાયદા મુજબ કાર્ય કર્યું, કોઈ ઉત્પીડન નથી”
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ચીનના અધિકારીઓએ નિયમ મુજબ કામ કર્યું, મુસાફરને ખોરાક, પાણી અને આરામ આપવામાં આવ્યો અને કોઇ બળજબરી અથવા ઉત્પીડન થયું નથી. માઓ નિંગે ફરી દાવો કર્યો કે “ઝાંગનાન” (અરુણાચલ પ્રદેશ) ચીનનો ભાગ છે એક વિવાદિત દાવો જેને ભારત સતત નકારી રહ્યું છે.

ભારત–ચીન વચ્ચે તણાવ ફરી સપાટી પર
આ ઘટનાએ ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી તણાવ વધાર્યો છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીનના પુનરાવર્તિત દાવાઓનો ભારત સતત દૃઢ શબ્દોમાં વિરોધ કરે છે અને આ મુદ્દે કોઈ પ્રકારનું સમાધાન ન હોય તેવું સ્પષ્ટ કરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…