ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જાણીતી માહિતી મુજબ, આજે સાંજે બે ભારતીય ધ્વજવાળા એલપીજી વાહક જહાજો – જગ વસંત અને પાઈન ગેસ – Strait of Hormuzમાંથી સુરક્ષિત રીતે પસાર થયા.
જહાજો પર કુલ 92,612.59 મેટ્રિક ટન એલપીજી લોડ કરવામાં આવ્યું છે. જગ વસંતમાં 33 ભારતીય ખલાસીઓ અને પાઈન ગેસમાં 27 ભારતીય ખલાસીઓ સવાર છે. બંને જહાજો હવે ભારત તરફ રવાના થઈ ગયા છે અને 26 થી 28 માર્ચ દરમિયાન દેશના વિવિધ બંદરો પર પહોંચવાની અપેક્ષા છે.
અગાઉ, એમટી શિવાલિક અને એમટી નંદા દેવી જહાજો ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરો પર 92,712 ટન એલપીજી સાથે પહોંચ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટમાં વિવિધ દેશોના 28 ભારતીય જહાજ ફસાયેલા હતાં, જેમાં 22 જહાજો પશ્ચિમ ભાગમાં અને પાંચ LPG વાહકોનો સમાવેશ છે. આ જહાજો મુખ્યત્વે BPCL, HPCL, IOC, રિલાયન્સ અને અન્ય કંપનીઓ પાસેથી ચાર્ટર્ડ કરવામાં આવ્યા છે.
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ખલાસીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જહાજો પર ખોરાક અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે. ઇરાન દ્વારા ચકાસણી બાદ જ કેટલાક જહાજો આગળ પસાર કરવામાં આવ્યા છે. હાલમાં, લારાક-કિશ્મ ચેનલથી ઘણા જહાજો પસાર થયા છે.
ભારત તેની 88% ક્રૂડ ઓઇલ, 50% કુદરતી ગેસ અને 60% એલપીજી આયાત માટે હોર્મુઝ સ્ટ્રેટ પર આધાર રાખે છે, અને યુદ્ધ પહેલા પણ મોટા ભાગનો માલ આ માર્ગ દ્વારા આવતો હતો. આ કારણે, જહાજોના સુરક્ષિત પસાર થવું દેશમાં ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





