પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને તે માટે સંપૂર્ણ અધિકાર છે.

જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના કડક વલણથી ગભરાયેલા પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે જો તણાવ વધુ વધશે તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કહી હતી.

પાકિસ્તાની રાજદૂત અહેમદનો દાવો
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદએ જણાવ્યું કે, “અમે UNSCના સભ્યો અને પૂર્વ તેમજ વર્તમાન અધ્યક્ષો સાથે સંપર્કમાં છીએ. જો સ્થિતિ વધારે બગડે, તો UNSCની બેઠક બોલાવવાનો અમને અધિકાર છે.” અહેમદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, “અત્યારે જે પરિસ્થિતિ વિકસતી જઈ રહી છે, તે માત્ર ભારત અને પાકિસ્તાન માટે જ નહીં, પણ સમગ્ર પ્રદેશ અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.”

UNSC અધ્યક્ષપદ જલ્દી પાકિસ્તાન પાસે
પાકિસ્તાન હાલમાં UNSCનું અસ્થાયી સભ્ય છે અને આવતા જુલાઈ મહિનામાં તે UNSC અધ્યક્ષપદ પણ સંભાળશે. આવા સમયે UNSCની બેઠક માટે પાકિસ્તાનનું આગ્રહ દ્વિપક્ષીય તણાવને વૈશ્વિક મંચ પર લાવવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. અહેમદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હમલો પહેલગામમાં થયો છે, પરંતુ તેની અસર સમગ્ર શાંતિ વ્યવસ્થાને ઘા પહોચાડે તેવી છે. UNSCને આ મામલે હસ્તક્ષેપ કરવાનો અને ચર્ચા કરવાનો અધિકાર છે.” અહેમદે એવો પણ ઈશારો કર્યો કે પાકિસ્તાન હવે આ મુદ્દે વૈશ્વિક સ્તરે દબાણ વધારવા માટે તૈયાર છે.

ખ્વાજા આસિફના વિવાદિત નિવેદન પર ટાળવુ
પત્રકારોએ જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદન વિશે પ્રશ્ન કર્યો કે “પાકિસ્તાન પશ્ચિમ માટે ગંદું કામ કરે છે”, ત્યારે અહેમદે જવાબ ટાળ્યો અને માત્ર પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત રાખવાની વાત કરી. વિશ્લેષકોનું માનવું છે કે UNSCમાં ભારતવિરુદ્ધ દાવો કરવાથી પહેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનું કામ શરૂ કર્યું છે. ભારત તરફથી આ દાવા પર હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.

Related Posts

ભારત-મંગોલિયા સંબંધોને મળશે નવી દિશા, ઉલાનબાતાર પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર

ભારત અને મંગોલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે મંગોલિયાની રાજધાની ઉલાનબાતાર પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિકાસ, શિક્ષણ, સુરક્ષા,…

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો: હોર્મુઝ જળમાર્ગ ખોલવા તૈયાર ઈરાન, બદલામાં અમેરિકાની 60 દિવસની મોટી રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવભર્યા સંબંધોમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પ્રથમ તબક્કા બાદ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *