મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લો ખાતે ગુરુવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતે ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો. સેમરિયા હનુમાન મંદિર નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
માહિતી મુજબ, આ બસ મોહન યાદવ ના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી. સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાળા વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ અને અનેક મુસાફરો તેમાં જ ફસાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કેટલાક મુસાફરોને ગંભીર માથાના ઈજા થઈ છે, જ્યારે એક મુસાફરનો હાથ કપાઈ જવાનો બનાવ પણ સામે આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ 20થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતને કારણે રોડ પર 4થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા તેમજ બચાવ કામગીરી ઝડપી ગતિએ હાથ ધરાઈ હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. બસમાં કુલ 41 મુસાફરો સવાર હતા, જેઓ સંમેલન પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. બધા ઈજાગ્રસ્તોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તાત્કાલિક સારવાર માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે ક્રેનની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





