મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર નજીક સાંજના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપથી આવી રહેલા ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક કે ટેમ્પોનો કચરો નીકળી ગયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પોના પતરા તૂટી ગયા હતા અને વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ઓવરસ્પીડ અને નિયંત્રણ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજી સત્તાવાર કારણ જાહેર કર્યું નથી.
હાઈવે પર ફરી ઉઠ્યા સુરક્ષાના પ્રશ્નો
મુંબઈ-અમદાવાદ હાઈવે દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર વધતા અકસ્માતોને કારણે માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





