હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.

અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (FIT)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કરક્યુમિન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને શરીરના કોષોના પ્રતિભાવને સુધારે છે. પી.એચ.ડી. સ્કોલર સ્વસ્તી રસ્તોગીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –  Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

માત્ર એક મહિના સુધી કરક્યુમિન આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta)ની કાર્યક્ષમતા સામાન્ય ઉંદરો જેવી થઈ ગઈ હતી. કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને મહત્વપૂર્ણ પ્રોટીનના સ્તરને સુધાર્યું. વિશ્વભરમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની રહી છે. ડાયાબિટીસના કારણે હૃદય અને રક્તવાહિનીઓને લાંબા ગાળે નુકસાન થાય છે. આવા સમયમાં હળદરના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો રક્ષણ પૂરું પાડી શકે છે.

આ પણ જુઓ –  અમેરિકાથી સૌથી મોટા સમાચાર | #bindi

જોકે, સંશોધકોનો ભાર છે કે હળદરને તરત જ ડાયાબિટીસની દવા તરીકે માનવી યોગ્ય નથી. કારણ કે કરક્યુમિન માનવ શરીરમાં ઓછી માત્રામાં જ શોષાય છે અને ઝડપથી બહાર નીકળી જાય છે. તેની અસરકારકતા વધારવા માટે તેને કાળા મરી સાથે લેવાથી મદદ મળી શકે છે. આ સંશોધન અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં રજૂ થવાનું છે, અને આગામી સમયમાં માનવો પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ વધુ સ્પષ્ટતા મળશે. હળદરનો ઉપયોગ પહેલેથી જ ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થાય છે. ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓમાં પણ તેની અસર અંગે સંશોધન ચાલુ છે.

Follow us on

#trumarik #haldar #healthtips #health #heart #body #medicin

  • Related Posts

    હોર્મુઝ સંકટ વચ્ચે ભારતનો ₹40,000 કરોડનો મેગા પ્લાન, ઓમાન-ગુજરાત ગેસ પાઇપલાઇનથી ઊર્જા સુરક્ષાને મળશે નવી દિશા

    મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના પર ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત…

    બિયારણ-ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારાઓ સામે સરકારનો કડક વલણ, હવે સીધી પોલીસ ફરિયાદ અને જેલની સજા

    રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વધુ કડક બની છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું…