ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.
અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (FIT)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કરક્યુમિન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને શરીરના કોષોના પ્રતિભાવને સુધારે છે. પી.એચ.ડી. સ્કોલર સ્વસ્તી રસ્તોગીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?
માત્ર એક મહિના સુધી કરક્યુમિન આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta)ની કાર્યક્ષમતા સામાન્ય ઉંદરો જેવી થઈ ગઈ હતી. કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને મહત્વપૂર્ણ પ્રોટીનના સ્તરને સુધાર્યું. વિશ્વભરમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની રહી છે. ડાયાબિટીસના કારણે હૃદય અને રક્તવાહિનીઓને લાંબા ગાળે નુકસાન થાય છે. આવા સમયમાં હળદરના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો રક્ષણ પૂરું પાડી શકે છે.
આ પણ જુઓ – અમેરિકાથી સૌથી મોટા સમાચાર | #bindi

જોકે, સંશોધકોનો ભાર છે કે હળદરને તરત જ ડાયાબિટીસની દવા તરીકે માનવી યોગ્ય નથી. કારણ કે કરક્યુમિન માનવ શરીરમાં ઓછી માત્રામાં જ શોષાય છે અને ઝડપથી બહાર નીકળી જાય છે. તેની અસરકારકતા વધારવા માટે તેને કાળા મરી સાથે લેવાથી મદદ મળી શકે છે. આ સંશોધન અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં રજૂ થવાનું છે, અને આગામી સમયમાં માનવો પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ વધુ સ્પષ્ટતા મળશે. હળદરનો ઉપયોગ પહેલેથી જ ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થાય છે. ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓમાં પણ તેની અસર અંગે સંશોધન ચાલુ છે.
Follow us on
- WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276
#trumarik #haldar #healthtips #health #heart #body #medicin





