હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.

અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (FIT)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કરક્યુમિન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને શરીરના કોષોના પ્રતિભાવને સુધારે છે. પી.એચ.ડી. સ્કોલર સ્વસ્તી રસ્તોગીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –  Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

માત્ર એક મહિના સુધી કરક્યુમિન આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta)ની કાર્યક્ષમતા સામાન્ય ઉંદરો જેવી થઈ ગઈ હતી. કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને મહત્વપૂર્ણ પ્રોટીનના સ્તરને સુધાર્યું. વિશ્વભરમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની રહી છે. ડાયાબિટીસના કારણે હૃદય અને રક્તવાહિનીઓને લાંબા ગાળે નુકસાન થાય છે. આવા સમયમાં હળદરના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો રક્ષણ પૂરું પાડી શકે છે.

આ પણ જુઓ –  અમેરિકાથી સૌથી મોટા સમાચાર | #bindi

જોકે, સંશોધકોનો ભાર છે કે હળદરને તરત જ ડાયાબિટીસની દવા તરીકે માનવી યોગ્ય નથી. કારણ કે કરક્યુમિન માનવ શરીરમાં ઓછી માત્રામાં જ શોષાય છે અને ઝડપથી બહાર નીકળી જાય છે. તેની અસરકારકતા વધારવા માટે તેને કાળા મરી સાથે લેવાથી મદદ મળી શકે છે. આ સંશોધન અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં રજૂ થવાનું છે, અને આગામી સમયમાં માનવો પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ વધુ સ્પષ્ટતા મળશે. હળદરનો ઉપયોગ પહેલેથી જ ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થાય છે. ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓમાં પણ તેની અસર અંગે સંશોધન ચાલુ છે.

Follow us on

#trumarik #haldar #healthtips #health #heart #body #medicin

  • Related Posts

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, Premeditated Criminal Trap

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો Ahmedabadના કાલુપુર વિસ્તારમાં મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા એક યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રિક્ષામાં બેસીને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સહિત ચાર શખસોએ તેને કથિત રીતે એક ગલીમાં લઈ જઈ રોક્યો હતો અને તેની પાસેથી રોકડ સહિત કુલ ₹45 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને લઈને યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક મધ્યપ્રદેશથીAhmedabad આવ્યો હતો અને હોસ્પિટલ જવાના રસ્તામાં તેની સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું…

    Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

    Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…