વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે. ત્યારે આવી બનાવટી એજન્સી કેવી રીતે લોકોને ફસાવી શકે છે અને કેવી રીતે સાવધાન રહી શકાય તેના વિશે જાણીએ.

સામાન્ય નાગરિકોને વિઝા સ્કેમનો ભોગ બનાવતી ફેક એજન્સીઓ પોતાને કાયદેસરના વિઝા સર્વિસ પ્રોવાઈડર તરીકે રજૂ કરે છે. તેઓ અરજદારોને વિવિધ પ્રકારની લાલચ આપી જાળમાં ફસાવે છે. જેમ કે, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ. જેમાં વિઝાની પ્રક્રિયાના બહાને મોટી રકમ એડવાન્સમાં મેળવી એજન્સી અદૃશ્ય થઈ જાય છે.

આવી એજન્સીઓ વિઝા મળવાની ખોટી ખાતરી આપી વિશ્વાસ સંપાદન કરે છે. ત્યાર બાદ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવામાં આવે છે. આ માટે નકલી નોકરીની ઓફર પણ આપવામાં આવે છે. ખાસ કરીને, અરજદારોને ખોટા દસ્તાવેજો બનાવી આપી કાનૂની મુશ્કેલીમાં મૂકે છે. તદુપરાંત, વિઝા પ્રોસેસના નામે ક્યારેક લોકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતીની ચોરી કરી તેનો દુરુપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ એજન્સી કામ પૂર્ણ થયા પહેલાં જ સંપૂર્ણ ફી ચૂકવવા માટે દબાણ કરતી હોય, એજન્સી પાસે કાયદેસરના પુરાવા કે લાયસન્સ ન હોય, ખૂબ જ ટૂંકા સમયમાં એટલે કે ‘ઝડપી વિઝા’ અપાવવાનું વચન આપતી હોય કે નિર્ણય લેવા માટે અરજદાર પર સતત માનસિક દબાણ કરતી હોય, તો અરજદારે તરત સાવચેત થઈ જવાની સલાહ સાયબર તજ્જ્ઞો આપે છે.

  • આ પ્રકારે છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાને રાખી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જનજાગૃતિ માટેની ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ,
  • એજન્સી પાસે વિઝા કામગીરી માટેની સત્તાવાર મંજૂરી છે કે નહીં તેની અગાઉથી તપાસ કરવી.
  • કોઈ પણ એજન્ટ પર નિર્ભર રહેવાને બદલે જે તે દેશના દૂતાવાસ (Embassy) અથવા અધિકૃત કેન્દ્રોનો સીધો સંપર્ક કરવો.
  • ‘વિઝા ગેરંટી’ આપતી લલચામણી સ્કીમો અને કંપનીઓથી દૂર રહેવું.
  • નાણાકીય વ્યવહાર માટે હંમેશાં સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો અને રસીદ આગ્રહપૂર્વક મેળવવી.

આમ છતાં, જો કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ બને, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘1930’ કે પછી www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરવી જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…