કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. સવારે લગભગ 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
લાંબી અને સન્માનનીય રાજકીય સફર
શિવરાજ પાટિલ ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને સિદ્ધાંતોને અગત્ય આપતા નેતા તરીકે જાણીતા હતા. તેમના રાજકીય જીવનના મુખ્ય તબક્કાઓ:
– લાતુર લોકસભા બેઠકથી 7 વખત ચૂંટાયેલા
– 1991–1996 : લોકસભાના અધ્યક્ષ
– આ સમયગાળા દરમિયાન લોકસભાનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ થયું
– 2004–2008 : કેન્દ્રીય ગૃહમંત્રી
– 26/11 મુંબઈ આતંકી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું
– 2010–2015 : પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક
વ્યક્તિગત જીવન અને શરૂઆત
– શિવરાજ પાટિલનો જન્મ 12 ઑક્ટોબર 1935ે લાતુરના ચાકુરમાં થયો હતો.
– પ્રથમ આયુર્વેદનો અભ્યાસ
– બાદમાં મુંબઈ યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ
– 1967માં લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






