ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત

મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા.

ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતમાં મોત પામેલા
આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ બાળક સહિત કુલ 4 લોકોના મોત થયા છે.
મૃતકોમાં –
રામલાલ લખાજી કુમાવત
કૈલાશભાઈ રામલાલ કુમાવત
કોમલ મદનલાલ કુમાવત
એક માસૂમ બાળક

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે નિયંત્રણમાં લીધો હતો. એક હસતો-રમતો પરિવાર ઘરે પહોંચતા પહેલા જ કાળનો કોળિયો બનતા રામોલ અને પાલી બંને જગ્યાએ શોકનો માહોલ છવાયો છે.

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…