યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારમાં ઐતિહાસિક સમજૂતિ, ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

યુક્રેન અને અમેરિકા રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર અમુક નાની વિગતો જ બાકી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી નવેમ્બરના અંતમાં અમેરિકા જઈ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને આ શાંતિ કરારને અંતિમ મંજૂરી આપશે. આ કરારથી છેલ્લા ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે.

મુખ્ય મુદ્દાઓ

– 100 અબજ ડોલરની સહાય: રશિયાની જપ્ત 300 અબજ ડોલરની સંપત્તિમાંથી 100 અબજ યુક્રેનના પુનર્નિર્માણ માટે આપવામાં આવશે.

– પ્રોજેક્ટ મુદ્દાઓ: જીનેવા મંત્રણામાં યુક્રેનની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને ૨૮માંથી ૧૯ મુખ્ય મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા.

– યુદ્ધવિરામ: ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ઘટાડો શક્ય, જે ભારત સહિતના તેલ આયાતી દેશોને આર્થિક રાહત આપશે.

– યુક્રેનની સેના: પૂર્વ શરત મુજબ ૫૦% સેનાનો કાપ રદ્દ, યુક્રેન માટે મોટી જીત.

– ઝાપોરિઝિયા અણુ શક્તિ પ્લાન્ટ: વિશેષ દરજ્જો આપીને રશિયા-યુક્રેન સહયોગ, પ્લાન્ટની અડધી વીજળી રશિયાને આપવામાં આવશે.

– નાણાકીય સુરક્ષા: યુદ્ધમાં નાશ પામેલા શહેરો, ગેસ પાઈપલાઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનર્નિર્માણ માટે રશિયાની ફ્રોઝન એસેટમાંથી ૧૦૦ અબજ ડોલર યુક્રેનને મળશે, વર્લ્ડ બેંક દ્વારા વધારાનું ફંડિંગ.

– યુક્રેન-નાટો: યુદ્ધ પછી યુક્રેન નાટો સંગઠનમાં જોડાશે નહીં, પરંતુ તેને મજબૂત સુરક્ષા ગેરંટી આપવામાં આવશે.

– યુરોપીયન સમર્થન: યુરોપીયન દેશોએ પણ આ કરારને પુષ્ટિ આપી છે.

વિશ્વ માટે અસર
– આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવ ઘટવાની શક્યતા
– ભારત સહિતના આયાતી દેશોને વાર્ષિક અબજો રૂપિયાની બચત
– યુક્રેનની સ્વતંત્રતા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ કરાર

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…