પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ: RSS મહાસચિવ દત્તાત્રેય હોસબાલે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પોતાની સુરક્ષા અને આત્મસન્માન જાળવી રાખતાં પાકિસ્તાન સાથે સંવાદના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ.

‘વાતચીત માટે એક રસ્તો ખુલ્લો રહેવો જોઈએ’
એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં હોસબાલેએ જણાવ્યું કે, “રાષ્ટ્રની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે જ વાતચીતનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ ન થવો જોઈએ.” તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન Atal Bihari Vajpayee અને વર્તમાન સરકાર બંનેએ પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે પ્રયાસો કર્યા હતા. છતાં પણ પાકિસ્તાન તરફથી પુલવામા જેવા હુમલાઓ થયા હતા.

અટલજી અને મોદી સરકારના પ્રયાસોની ચર્ચા
હોસબાલેએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયી બસ દ્વારા લાહોર ગયા હતા અને શાંતિ માટે પહેલ કરી હતી. સાથે જ તેમણે Narendra Modi નો ઉલ્લેખ કરતાં કહ્યું કે મોદીએ પોતાના શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું અને બાદમાં પાકિસ્તાની નેતાના પરિવારિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેમણે ઉમેર્યું કે ભારતે હંમેશા સંવાદ દ્વારા સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે તો ભારતે સખત જવાબ આપવો જ પડશે.

‘સંવાદ બંધ થશે તો સંબંધ સુધારવાની તક ખતમ થશે’
હોસબાલેના જણાવ્યા અનુસાર, તણાવ વચ્ચે પણ રાજદ્વારી સંબંધો જાળવી રાખવા જરૂરી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, વિઝા અને રાજદ્વારી સંપર્કો ચાલુ રહેવા જોઈએ. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો વાતચીતના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવશે તો સંબંધોમાં સુધારાની સંભાવનાઓ પણ સમાપ્ત થઈ જશે.

‘લવ જેહાદ એક કાવતરું’
ઇન્ટરવ્યૂ દરમિયાન દત્તાત્રેય હોસબાલેએ મુસ્લિમ નેતૃત્વ અને ‘લવ જેહાદ’ મુદ્દે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે “લવ જેહાદ ત્યારે કહેવાય જ્યારે કોઈ ખાસ એજન્ડા હેઠળ હિન્દુ યુવતીઓને નિશાન બનાવવામાં આવે. આવી એકતરફી પ્રવૃત્તિ પ્રેમ નહીં પરંતુ કાવતરું ગણાય.”

 

 

  • Related Posts

    #Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

    સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

    PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, ‘કાર પુલિંગ’ અમલમાં મૂકવાનો નિર્ણય

    પ્રધાનમંત્રી મોદી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચત માટે કરવામાં આવેલી અપીલ બાદ Gujarat University એક્ટિવ મોડમાં આવી છે. રાજ્યની સૌથી જૂની અને મોટી યુનિવર્સિટીએ કેમ્પસમાં ‘કાર પુલિંગ’ અને ‘કાર…