દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે વિસ્ફોટ સાથે કાર ભીષણ રીતે સળગવા લાગી હતી. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે થયો હતો.
વિસ્ફોટ ની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કહેવાય છે કે વિસ્ફોટને કારણે ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડના વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે.
જયપુરમાં એલર્ટ જારી
પોલીસે લાલ કિલ્લાની સામેનો રસ્તો બંને બાજુ ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો. દિલ્હી વિસ્ફોટ બાદ, જયપુરમાં હવે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારી એલર્ટમાં તમામ અધિકારીઓને ક્ષેત્રમાં તૈનાત કરવા, દેખરેખ વધુ તીવ્ર બનાવવા અને સંદેશાવ્યવહાર જાળવવા વિનંતી કરવામાં આવી છે. નોંધનીય છે કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






