દાહોદ : 10 કરોડથી વધુની વીજચોરીનો પર્દાફાશ, MGVCLની વિજિલન્સ ટીમે ચલાવ્યું ચેકિંગ ઓપરેશન

દાહોદ જિલ્લામાં 10 કરોડથી વધુની વીજચોરીનો ભાંડો ફોડાયો છે, જેમાં MGVCL (મધ્ય ગુજરાત વિજ કંપની લિ.) દ્વારા સમગ્ર જિલ્લામાં વિજિલન્સ ટીમે વિશાળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. શંકાસ્પદ મીટરો અને બિનકાયદેસર વીજ વપરાશ સામે કાર્યવાહી દરમ્યાન અત્યાર સુધીમાં મોટી માત્રામાં વીજચોરીના કિસ્સા બહાર આવ્યાં છે.

1000 કર્મચારીઓની ટીમે કર્યું ચેકિંગ
વિજિલન્સ વિભાગે દાહોદ શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એક મહિના જેટલી લાંબી કાર્યવાહીમાં અંદાજે 1000 કર્મચારીઓ સાથે ચેકિંગ અભિયાન હાથ ધર્યું. અત્યાર સુધી 700થી વધુ શંકાસ્પદ વીજ મીટરો તપાસવામાં આવ્યા છે, જેમાંથી 254 મીટરોનું લેબોરેટરી પરીક્ષણ કરાયું અને 222 મીટરોમાં વીજચોરી સાબિત થઈ છે.

આંતરિક અહેવાલ અનુસાર, હવે સુધી ખુલાસો થયેલી વીજચોરીની કીમત આશરે ₹2.70 કરોડથી વધુ ની છે. હાલ વધુ 400 શંકાસ્પદ મીટરોની તપાસ બાકી છે અને અંદાજ છે કે આખું ચેકિંગ પૂર્ણ થયા બાદ વીજચોરીનો કુલ આંકડો ₹10 કરોડને પાર કરી શકે છે.

વેપારીઓ, તબીબો અને નેતાઓ પણ શંકાસ્પદ
પ્રાથમિક વિગતો મુજબ, વીજચોરીમાં કેટલાક સ્થાનિક વેપારીઓ, ખાનગી તબીબો અને રાજકીય જોડાણ ધરાવતા લોકોના નામો પણ સામે આવી શકે છે. વિજિલન્સ ટીમે દાહોદ, લીમડી, ઝાલોદ, લીમખેડા સહિત અનેક વિસ્તારોમાં 400થી વધુ મીટરો દાહોદ અને લીમડીમાં, ઝાલોદમાં 60, અને લીમખેડામાં 25થી વધુ મીટરો પકડ્યા છે. વીજચોરીના કેસમાં MGVCL દ્વારા એફઆઇઆર નોંધાઇ છે અને કાયદેસર પગલાં લેવાઈ રહ્યાં છે.

એમજીવીસીએલની ત્રાટકતી કાર્યવાહી યથાવત રહેશે
વિજિલન્સ વિભાગે જણાવ્યું કે આવા ઉલ્લંઘન સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યભરમાં આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને વીજચોરી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.

Related Posts

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલ-કાયદાના ચાર આતંકીઓની NIA કરશે તપાસ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડાયેલા **અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)**ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે આ પગલું મામલાની ગંભીરતા અને…

જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સફારી મુલાકાત, સાવજ દર્શન અને આદિવાસી મહિલાઓ સાથે સંવાદ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈ સાસણ ગિર સફારી પાર્કમાં સાવજ દર્શન કર્યા હતા અને સાથે સાથે આદિવાસી સમુદાયના લોકોને મળીને સંવાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *