થાઈલેન્ડમાં વિષ્ણુ પ્રતિમા હટાવવામાં વિવાદ, ભારતે કર્યો કડક વિરોધ

થાઈલેન્ડ અને કંબોડિયાની સંવેદનશીલ સરહદ પર સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા હટાવવામાં આવી હોવાના વિવાદ પર ભારતે કડક વિરોધ કર્યો છે. ભારત સરકારે આ ઘટનાને વિશ્વભરના હિન્દુઓની શ્રદ્ધા પર આઘાત ગણાવ્યો છે અને બંને દેશોને સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની અપીલ કરી છે.

અહેવાલો અનુસાર, વિવાદિત ‘ચોંગ અન મા’ વિસ્તારની વિષ્ણુ પ્રતિમા હટાવવામાં આવી હતી. થાઈલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ધર્મ પ્રેરિત ન હતું, પરંતુ સરહદની સુરક્ષા માટે લેવામાં આવ્યું હતું. આ પ્રતિમા મૂળભૂત રીતે ધાર્મિક સ્થાન તરીકે નોંધાયેલી ન હતી અને પાછળથી સ્થાપિત કરવામાં આવી હતી, જે તણાવનું કારણ બની રહી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કૃત્યથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને આવા અપમાનજનક કૃત્યો સ્વીકાર્ય નથી. બંને દેશોએ રાજદ્વારી માધ્યમોથી સરહદ વિવાદ ઉકેલવાની જવાબદારી લેવી જોઈએ.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ દાયકાઓ જૂનો છે અને અગાઉ પ્રીહ વિહિઅર મંદિરને લઈ બંને દેશો વચ્ચે લાંબી કોર્ટ લડાઈ પણ થઈ ચૂકી છે. ભારત આ ક્ષેત્રમાં ફેલાયેલા હિન્દુ-બૌદ્ધ સાંસ્કૃતિક ચિહ્નો રાજકીય તણાવનો ભોગ ન બને તે માટે ચિંતિત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગરવી ગુર્જરીની પહેલથી વિધાનસભા સંકુલ બન્યું ગુજરાતની કલાસંપદાનું ગૌરવમય કેન્દ્ર

ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા…

ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…