JNUમાં રાવણ દહન દરમિયાન વિવાદ: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા સાથે ABVP અને JNUSU આમને-સામને

દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા લગાવાયા. ભયજનક રાજકીય અને વિદ્યા સંસ્થાકીય ધ્રુવીકરણ સામે આવ્યું છે.

શું છે મામલો?
JNU કેમ્પસમાં દશેરાના અવસરે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ABVP દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાવણના 10 માથાં પર દેશદ્રોહ અને રાજકીય વિવાદોમાં આવેલા ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય ચહેરાઓના ફોટા લગાવવામાં આવ્યા હતા. ABVP મુજબ, આ લોકો “દેશદ્રોહના ચહેરા” છે અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક રીતે તેમનો વિરોધ કર્યો છે. અન્ય તરફ, JNUSU (JNU વિદ્યાર્થી સંઘ) એ આ ઘટનાની સખત નિંદા કરી છે અને ABVP પર આરોપ લગાવ્યો છે કે તે રાજકીય ફાયદા માટે ધર્મ અને ઉત્સવોનો ઉપયોગ કરી રહી છે.

ABVPનું નિવેદન: સાંસ્કૃતિક આક્રમણ સહન નહીં કરીએ
ABVPના વિદ્યાર્થી નેતા મયંક પંચાલએ જણાવ્યું કે,”JNUમાં અમે 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી અને દશેરાનું ઉજવણી ભવ્ય રીતે યોજી. પરંતુ ડાબેરી સંગઠનોએ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો.” તેમણે આરોપ લગાવ્યો કે ડાબેરી વિચારધારાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અને કેટલાક લોકો જૂતા પણ ફેંક્યા.

JNUSUનો વાંધો
JNUSUએ જાહેર વિવાદમાં કહ્યું કે,”શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ પાંચ વર્ષથી જેલમાં છે અને હજુ પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ABVPએ જાહેરમાં તેમને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, જે શરમજનક છે.” તેમણે એ પણ સવાલ કર્યો કે જો ABVPને ખરેખર રાષ્ટ્રની ચિંતા છે, તો રાવણ તરીકે નાથુરામ ગોડસે કે રામ રહીમ જેવા દોષિતોને કેમ નહીં દેખાડ્યા?

વિદ્યાર્થી રાજકારણ કે મુદોનું રાજનીતિકીકરણ?
આ ઘટનાએ ફરીથી JNUના કેમ્પસને વિવાદના કેન્દ્રમાં લાવી દીધો છે. જ્યાં ABVP તેને “દેશવિરોધી તત્વો સામે સામૂહિક અવાજ” તરીકે જોવે છે, ત્યાં JNUSU તેને “વિચારભિન્નતાના દમનનો પ્રયાસ” ગણાવે છે.

Related Posts

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *