JNUમાં રાવણ દહન દરમિયાન વિવાદ: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા સાથે ABVP અને JNUSU આમને-સામને

દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા લગાવાયા. ભયજનક રાજકીય અને વિદ્યા સંસ્થાકીય ધ્રુવીકરણ સામે આવ્યું છે.

શું છે મામલો?
JNU કેમ્પસમાં દશેરાના અવસરે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ABVP દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાવણના 10 માથાં પર દેશદ્રોહ અને રાજકીય વિવાદોમાં આવેલા ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય ચહેરાઓના ફોટા લગાવવામાં આવ્યા હતા. ABVP મુજબ, આ લોકો “દેશદ્રોહના ચહેરા” છે અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક રીતે તેમનો વિરોધ કર્યો છે. અન્ય તરફ, JNUSU (JNU વિદ્યાર્થી સંઘ) એ આ ઘટનાની સખત નિંદા કરી છે અને ABVP પર આરોપ લગાવ્યો છે કે તે રાજકીય ફાયદા માટે ધર્મ અને ઉત્સવોનો ઉપયોગ કરી રહી છે.

ABVPનું નિવેદન: સાંસ્કૃતિક આક્રમણ સહન નહીં કરીએ
ABVPના વિદ્યાર્થી નેતા મયંક પંચાલએ જણાવ્યું કે,”JNUમાં અમે 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી અને દશેરાનું ઉજવણી ભવ્ય રીતે યોજી. પરંતુ ડાબેરી સંગઠનોએ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો.” તેમણે આરોપ લગાવ્યો કે ડાબેરી વિચારધારાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અને કેટલાક લોકો જૂતા પણ ફેંક્યા.

JNUSUનો વાંધો
JNUSUએ જાહેર વિવાદમાં કહ્યું કે,”શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ પાંચ વર્ષથી જેલમાં છે અને હજુ પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ABVPએ જાહેરમાં તેમને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, જે શરમજનક છે.” તેમણે એ પણ સવાલ કર્યો કે જો ABVPને ખરેખર રાષ્ટ્રની ચિંતા છે, તો રાવણ તરીકે નાથુરામ ગોડસે કે રામ રહીમ જેવા દોષિતોને કેમ નહીં દેખાડ્યા?

વિદ્યાર્થી રાજકારણ કે મુદોનું રાજનીતિકીકરણ?
આ ઘટનાએ ફરીથી JNUના કેમ્પસને વિવાદના કેન્દ્રમાં લાવી દીધો છે. જ્યાં ABVP તેને “દેશવિરોધી તત્વો સામે સામૂહિક અવાજ” તરીકે જોવે છે, ત્યાં JNUSU તેને “વિચારભિન્નતાના દમનનો પ્રયાસ” ગણાવે છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *