દલાઈ લામાને જેફરી એપસ્ટાઈન સાથે જોડવાના દાવાઓ ફગાવ્યા, કાર્યાલયનો સખત જવાબ

તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાનું કાર્યાલય નિકાલ કર્યું છે કે તેમના નામને જેફરી એપસ્ટાઈન સાથે જોડવાના દાવાઓ પૂરેપૂરે ખોટા છે. આ દાવાઓ સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાયા, જે ધર્મગુરુની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે નુકસાનકારક ગણવામાં આવ્યા છે.

કાર્યાલયની સત્તાવાર સ્પષ્ટતા
– કોઈ વ્યક્તિગત સંબંધ નથી: દલાઈ લામા ક્યારેય જેફરી એપસ્ટાઈનને મળ્યા નથી કે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો નથી.
– છબી ખરડાવવાનો પ્રયાસ: આ કૃત્ય જાણિ-જાણી કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય દલાઈ લામાના માનવતા અને શાંતિના સંદેશને નબળો પાડવાનો છે.
– તથ્યોની ચકાસણીની અપીલ: અનુયાયીઓ અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર સ્ત્રોતની જાણકારી જ માન્ય માને.

શાંતિના દૂત પર અગાઉ પણ હુમલા
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામા હંમેશા અહિંસા અને કરુણાના પ્રચારક રહ્યા છે. સમર્થકોના મતે, જ્યારે પણ તિબેટનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજે છે, ત્યારે તેમને બદનામ કરવા માટે આ પ્રકારના વિવાદ ઊભા કરવામાં આવે છે.

આ સ્પષ્ટતા બાદ, દલાઈ લામાના અનુયાયીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારા તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…