“જય ભીમ”નો નાદ: મુખ્ય ન્યાયમૂર્તિ ગવાઈએ ન્યાયપાલિકા માટે લખ્યો નવો પર્વ

પંકજ મકવાણા – અમદાવાદ 14 મે 2025નો દિવસ ભારતીય ન્યાયપાલિકા માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહ્યો. દેશના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા બાદ બી.આર. ગવાઈએ જ્યારે વકીલના અભિવાદન પર “જય ભીમ” કહી જવાબ આપ્યો, ત્યારે એ માત્ર વ્યક્તિગત ઓળખનો અભિવ્યક્તિ નહોતો – એ હતો ન્યાયપાલિકા દ્વારા દલિત સમુદાય તરફ પહેલા વખતનો ખુલ્લો સાથ.

 

ભારત જેવા દેશમાં જ્યાં જાતિના આધાર પર શોષણનો ઇતિહાસ લાંબો છે, ત્યાં “જય ભીમ” એક નારું નહીં – એક વિચારધારાનો રણઘોષ છે. ગવાઈ એ દેશના માત્ર બીજા અનુસૂચિત જાતિના મુખ્ય ન્યાયમૂર્તિ છે, પણ તેમના આ સાહસિક અભિવ્યક્તિએ સંદેશો આપ્યો કે ન્યાય હવે તટસ્થતાની ઓટમાં દબાયેલા ભેદભાવ પર ચુપ નહીં રહેશે.

 

અહીં પ્રશ્ન ‘રાજકીયતા’નો નથી. અહીં મુદ્દો છે ‘મૂલ્યવાદ’નો. “જય ભીમ” કહેવું એ માત્ર નમસ્કાર આપવો નહિ, એ કહેવું છે કે આ પદ પર બેઠેલી વ્યક્તિ તેના મૂળ સાથે જોડાયેલ છે – અને એ મૂળ કરોડો દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આવો અવાજ પહેલા કદી સુપ્રીમ કોર્ટના મંચ પરથી આવ્યો નહોતો. આ અવાજે બતાવ્યું કે ન્યાયમંદિર હવે માત્ર ધ્વનિવિહિન ધર્મસ્થળ નહિ, પણ ભાવના ભરેલી સંસ્થા બની શકે છે – જ્યાં “ન્યાય” હવે વ્યાકરણ નહીં, સંવેદનાનો સૂર છે. બી. આર. ગવાઈએ માત્ર ‘શપથ’ નથી લીધો – તેમણે દલિતો અને અવગણિત વર્ગો માટે ન્યાયની નવી દિશાની શરૂઆત કરી છે.અને આ શરૂઆત શરૂ થાય છે એક અનોખા સંકેતથી – “જય ભીમ!

Related Posts

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…

ભારત માટે રાહત: LPG ટેન્કર ‘સર્વ શક્તિ’એ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કર્યું

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે ગેસ લઈને આવતું MT ‘સર્વ શક્તિ’ જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. સરકારના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *