ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ લગભગ રોહિત શર્માના હાથમાં જ હશે તેમ માનવામાં આવી રહ્યું હતું અને તેવું જ થયું છે.
આ સિવાય મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના નામ અંગે જે સસ્પેન્સ હતું તેના પરથી પણ આજે પડદો ઉઠી ગયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ રમતો જોવા મળશે. જોકે, સંજુ સેમનસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને વિકેટકીપર તરીકે તક આપવાની વાત પંતના ફ્લોપ શોના કારણે સામે આવી રહી હતી, પરંતુ ટીમમાં પંત જ વિકેટકીપરની જવાબદારી સંભાળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, પરંતુ ભારત પોતાની મેચો દુબઈમાં રમશે. પાકિસ્તાને પણ પોતાની મેચ દેશની બહાર રમવી પડશે. ભારતે ચેમ્પિન્સ ટ્રોફીની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20મી ફેબ્રુઆરીએ રમવાની છે. આ પછા ભારત 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને 2જી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે.






