ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે.

ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે.

આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
અમિત ઠાકર
મહેશ કસવાળા / કૌશિક વેકરીયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
જયેશ રાદડિયા
ઉદય કાંગડ
સંજય કોરડીયા
પ્રધયુમન વાજા
અર્જુન મોઢવાડીયા
દર્શિતા શાહ
સંગીતા પાટિલ

આ નેતાના કપાઈ શકે છે પત્તા
કુબેર ડીંડોર
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
જગદીશ વિશ્વકર્મા

આ સમિકરણ પર નજર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે જોવાનું રહ્યું કે, ભાવનગર જિલ્લાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પરષોત્તમ સોલંકીની જો મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવે છે તો તેમના ભાઈ અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની મંત્રીમંડળમાં એન્ટ્રી થશે. બીજી તરફ કુંવરજી બાવળિયાના નામને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે, મંત્રીમંડળ માંથી બાદબાકી થઈ શકે છે. આ સાથે જ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરીયાનું પણ પ્રમોશન થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…