બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે.

ફેફસાંની સમસ્યાના કારણે હતા હોસ્પિટલમાં
અહેવાલ અનુસાર, અસરસાની છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની ગંભીર સમસ્યાથી પીડાતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો.

અંતિમ વિદાય અને સંસ્કાર
અસરાનીનું અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારજનો, મિત્રો અને કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અસરસાનીની જીવનયાત્રા અને કારકિર્દી
અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજસ્થાન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ ૧૯૬૭ માં ‘હરે કાંચ કી ચુડીયા’ ફિલ્મથી બૉલિવૂડમાં પ્રવેશ કર્યો.

અસરાની પોતાની અનોખી કોમિક ટાઇમિંગ અને પ્રભાવશાળી અભિનયથી ફિલ્મી દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયા. તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી ‘શોલે’ માં જેલરના પાત્રે તેમને ખાસ ઓળખ મળી. તેમની વારસામાં હાસ્ય અને મનોરંજન માટેના અમૂલ્ય યોગદાનની વાર્તા અવનવી રહેશે.

દેશભરમાં ચાહકોમાં શોક
અસરાનીના નિધનથી સમગ્ર ફિલ્મી જગત અને ચાહકોમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયા પર તેઓને શ્રદ્ધાંજલિ અને શ્રેષ્ઠ કલાકાર તરીકે યાદ કરવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2026 : Gokuldham Meets Marvel/Sony : સ્પાઈડરમેન ફેન મોડ ઓન! સોશિયલ મીડિયા પર ગોકુલધામ ડ્રામા ટ્રેન્ડિંગ : Gokuldham Superhero Twist

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં સ્પાઈડરમેન જેવી થીમ સાથે મનોરંજક ટ્વિસ્ટ. જેઠાલાલ, ટપુ સેના અને રહસ્યમય મહેમાનનો નવો ટ્રેક દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યો. ગોકુલધામ સોસાયટીમાં ફરી એકવાર મનોરંજનનો ધમાકો ભારતના સૌથી લોકપ્રિય કોમેડી શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષોથી દર્શકોને હસાવતો આ શો નવા-નવા ટ્રેક અને હળવા હાસ્યથી ભરપૂર એપિસોડ માટે ઓળખાય છે. હવે ગોકુલધામ સોસાયટીમાં એક નવો અને મનોરંજક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે, જેમાં સ્પાઈડરમેન થીમને કેન્દ્રમાં રાખીને ખાસ કથા રજૂ કરવામાં આવી રહી છે. જેઠાલાલ, ટપુ સેના અને ગોકુલધામના અન્ય સભ્યોનો નવો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પ્રોમો અને તસવીરો વાયરલ થયા બાદ દર્શકો આગામી એપિસોડ જોવા આતુર બન્યા છે.…

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…