વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ.
10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે 2૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹2૦૪ કરોડની જોગવાઇ. પ્રિ-મેટ્રિકના કુલ 11 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹138 કરોડની જોગવાઇ.
બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઇ
74 આદર્શ નિવાસી શાળાઓના અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹134 કરોડની જોગવાઇ. ધો. 1થી 8 ના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹98 કરોડની જોગવાઇ. નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹26 કરોડની જોગવાઇ. આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹125 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹111 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઇ. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઇ. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹42 કરોડની જોગવાઇ. અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹40 કરોડની જોગવાઇ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઇ. રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹25 કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹25 કરોડની જોગવાઇ.યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે ₹12 કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ
ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ. દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઇ.વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹ 146 કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹22 કરોડની જોગવાઇ. કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹ 14 કરોડની જોગવાઇ કારવમાં આવી .
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






