Banaskantha: ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપકને લઈને થયો મોટો ખુલાસો, આ પહેલા પણ…

ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં મોટી દુર્ઘટના બની હતી. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારના ઘરના કાંચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે કારખાનાના માલિક દીપક મોહનાણીની અરવલ્લીથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી દીપક ને લઈ મોટા ખુલાસા થયા છે.

દીપક ટ્રેડર્સ નામથી ચાલતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ માલિક દીપક મોહનાણી ફરાર થયો હતો. અને તેમની ધરપકડ અરવલ્લી પોલીસે કરી હતી. બ્લાસ્ટ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરી હતી. કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આરોપી દીપક આ પહેલા મુખ્ય આરોપી દીપક મોહનાની IPLમાં સટ્ટો રમાડતો હોવાનું આવ્યું સામે આવ્યું છે. વર્ષ 2024માં સ્ટેડિયમમાં બેસીને IPL મેચમાં દીપક સટ્ટો રમાડતો હતો. અને LCBએ તેમને ઝડપી પાડ્યો હતો.

MLA જીગ્નેશ મેવાણી પહોંચ્યા ડીસા સિવિલ હોસ્પિટલ:- ડીસામાં આગની ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે દુર્ઘટનામાં મૃતકોના પરિવાર સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી. આ સાથે જ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મૃતકોના પરિજનોની મુલાકાત કરી હતી. આ સાથે તેમણે તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પરીવારજનોને મુતદેહ મળ્યા નથી. પરિજનોને જાણ કર્યા વિના મુતદેહને MP રવાના કરી દીધા હતા.

શું હતી ઘટના:- બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢુવા રોડ પર મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં.બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે બ્લાસ્ટમાં 21 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે. સરકારે ઘટનાના પીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. સરકારે મૃતકોના પરિજનો માટે ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.સરકારે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી દીધી છે. અને પોલીસે ઇડરથી ગોડાઉનના માલિક દિપક ની ધરપકડ કરી લીધી છે.

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *