3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી

જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક બાદ જણાવાયું છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગભગ 25% વધારો થવાની શક્યતા છે.

નોંધણી 15 એપ્રિલથી શરૂ
શ્રદ્ધાળુઓ માટે નોંધણી પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ થશે. રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે. ઓનલાઈન નોંધણી માટે સત્તાવાર વેબસાઈટ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાશે, જ્યારે ઓફલાઈન નોંધણી માટે દેશભરમાં આવેલી PNB, SBI, યસ બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની 554 શાખાઓમાં સુવિધા ઉપલબ્ધ રહેશે.

RFID કાર્ડ અને વીમામાં વધારો
આ વખતે યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે RFID આધારિત ટ્રેકિંગ કાર્ડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સાથે જ, સામૂહિક અકસ્માત વીમાની રકમ 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. ઘોડા માલિકોને પણ રાહત આપતા, ઘોડાના મૃત્યુ પર 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા
યાત્રા માર્ગ પર સુરક્ષા માટે સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી છે. હવામાનની ચોક્કસ માહિતી માટે ડોપ્લર રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, બાલટાલમાં નવું યાત્રી નિવાસ કાર્યરત કરવામાં આવ્યું છે અને શ્રીનગરમાં પણ યાત્રી નિવાસ ઉપલબ્ધ છે. આરોગ્ય સેવાઓ માટે 200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

નોંધણી પ્રક્રિયા (મુખ્ય પગલાં)

ઓનલાઈન નોંધણી:
– SASB વેબસાઈટ પર જવું
– વ્યક્તિગત વિગતો અને હેલ્થ સર્ટિફિકેટ અપલોડ કરવું
– ફી ચૂકવી યાત્રા પરમિટ ડાઉનલોડ કરવું

ઓફલાઈન નોંધણી:
– નિયુક્ત બેંક શાખામાં ફોર્મ ભરવું
– આધાર કાર્ડ, ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ જમા કરાવવું

વય મર્યાદા અને નિયમો
– 13થી ઓછી અને 70થી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી નહીં
– 6 અઠવાડિયા કે તેથી વધુ ગર્ભવતી મહિલાઓને યાત્રાની મંજૂરી નહીં
– નોંધણી સમયે રૂટ (પહલગામ અથવા બાલટાલ) પસંદ કરવો ફરજિયાત છે+

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…

યુદ્ધ વચ્ચે નવો વળાંક: ઈરાન-અમેરિકા તણાવમાં મધ્યસ્થતા માટે રશિયાની એન્ટ્રી, પુતિને આપી ઓફર

વ્લાદિમીર પુટિન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે આ પગલાને મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી…