અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે બંનેને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની અને દેશ છોડવા નહીં દેવા જેવી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.

આરોપો શું છે?
ચંડોળા વિસ્તારના કાચા વિસ્તારોમાં લલ્લા બિહારીએ કાળી કમાણીથી ગેરકાયદે વસાહતો ઉભી કરી હતી. ઝૂંપડપટ્ટી વચ્ચે રાજસી ફાર્મ હાઉસ અને બંગલાનું બાંધકામ કર્યું હતું. તેને એવી રીતે બનાવ્યું હતું કે, ગૂગલ મેપ પર પણ આ બાંધકામો દેખાતા નહતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્યાં ઘૂસણખોરોને આશરો આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ધરપકડ અને રિમાન્ડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લલ્લા બિહારીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેણે અને તેના પુત્ર સાથે પોલીસે ઘટનાસ્થળે “રી-કન્સ્ટ્રક્શન” પણ કર્યું હતું. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાંથી કોર્ટે 6 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો.

જામીનની શરતો
ગુજરાત હાઈકોર્ટએ બંને પિતા-પુત્રને શરતી જામીન આપ્યા છે, જેમાં મુખ્ય શરતો નીચે મુજબ છે:
– રાજા સહિતના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી આપવી
– પાસપોર્ટ ન જમા કરાવી શકાય ત્યા સુધી વિદેશ ન જવાનું
– તપાસમાં સહકાર આપવો
– કોઈપણ પ્રકારના પુરાવા સાથે ચેડા ન કરવા

આગળ શું?
અત્યારે લલ્લા બિહારી વિરૂદ્ધ પીએસએ (Preventive Detention Act) હેઠળ કાર્યવાહી ન કરવામાં આવે તેવી અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આગામી દિવસોમાં હાઈકોર્ટમાં સુનાવણી થશે.

સરકાર અને સ્થાનિક તંત્રની કાર્યવાહી
ચંડોળા વિસ્તારમાં AMC અને પોલીસ દ્વારા 2000થી વધુ ગેરકાયદે બાંધકામો સામે તોડફોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહ્યો છે જ્યાં પરપ્રાંતીય અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહત હોવાનો આક્ષેપ છે.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *