US-Iran Nuclear Deal બાદ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવાની રાહ, વૈશ્વિક તેલ વેપાર પર સૌની નજર

ઈરાન અને અમેરિકા વચ્ચે વચગાળાના ન્યુક્લિયર કરાર અંગે ચર્ચાઓ તેજ બનતાં હવે વિશ્વની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર ટકી છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવામાં આવશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે ચર્ચામાં રહેલા મોજતબા ખામેની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું છે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ?
હોર્મુઝ સ્ટ્રેટ પર્શિયન ગલ્ફનો મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આશરે 34 કિલોમીટર પહોળો આ દરિયાઈ માર્ગ વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાના લગભગ 20 ટકા વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિસ્તાર પર ઈરાનનું વ્યૂહાત્મક નિયંત્રણ માનવામાં આવે છે અને વૈશ્વિક ઊર્જા બજાર માટે આ માર્ગ ખૂબ જ સંવેદનશીલ ગણાય છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં કેમ લાગી શકે લાંબો સમય?
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાને હોર્મુઝના પાણીની અંદર અનેક લેન્ડમાઈન બિછાવી હોવાનું માનવામાં આવે છે. સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલતા પહેલાં આ ખાણોને દૂર કરવી જરૂરી રહેશે. ઈરાન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 30 દિવસનો સમય લાગી શકે છે. જોકે કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું માનવું છે કે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં છ મહિના સુધીનો સમય લાગી શકે છે.

2 હજારથી વધુ કાર્ગો જહાજો ફસાયેલા
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ના અંદાજ મુજબ હાલમાં પર્શિયન ગલ્ફ વિસ્તારમાં આશરે 2 હજાર કાર્ગો જહાજો અટવાયેલા છે. જ્યાં સુધી દરિયાઈ માર્ગ સંપૂર્ણ સુરક્ષિત હોવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી મોટા જહાજોને હોર્મુઝમાંથી પસાર કરવાની મંજૂરી મળવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.

પેન્ટાગોનનો અંદાજ
પેન્ટાગોન ના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે નાના ટેન્કરો ઝડપથી બહાર નીકળી શકે છે, પરંતુ મોટા કાર્ગો જહાજોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં લાંબો સમય લાગી શકે છે.

શું છે US-Iran વચગાળાનો કરાર?
સૂત્રો અનુસાર અમેરિકા અને ઈરાન સિદ્ધાંતતઃ એક વચગાળાના કરાર પર સંમત થયા છે અને તેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આ કરાર હેઠળ:
– ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે
– પરમાણુ હથિયારો વિકસાવશે નહીં
– અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે
– જપ્ત કરાયેલા ભંડોળ પરત કરવામાં આવશે
– લેબનોન પર હુમલા અટકાવવાના મુદ્દાનો પણ સમાવેશ થઈ શકે છે
જો આ કરાર સત્તાવાર રીતે અમલમાં આવે તો મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવાની દિશામાં તેને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

 

 

 

  • Related Posts

    ગુલમર્ગમાં ગોન્ડોલા રાઇડ અચાનક બંધ, રાજકોટ-અમદાવાદના 1 હજારથી વધુ પર્યટકો ફસાયા

    ગુલમર્ગ ગોન્ડોલા ખાતે ઉનાળાની રજાઓ માણવા ગયેલા ગુજરાતના પર્યટકો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા એશિયાની સૌથી ઊંચી ગણાતી…

    ઈબોલા વાઈરસના ખતરાને લઈને અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું પાલન ફરજિયાત

    વિશ્વભરમાં વધી રહેલા ઈબોલા વાયરસ રોગ ના ખતરાને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જનઆરોગ્યની સુરક્ષા અને સંક્રમણ રોકવાના…