ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે :- લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે,વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતુ. સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા.
કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા :- વિક્રમ ઠાકોરે સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. વિધાનસભામાં ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા નથી. આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓએ પણ ધ્યાન આપવું જોઈએ. વિક્રમ ઠાકોરે કહ્યું કે, મને ના બોલાવ્યો એનો વાંધો નથી પણ બીજા ઘણા ઠાકોર સમાજના સારા કલાકાર છે એમને બાકાત રખાયા છે.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે વિધાનસભામાં બોલાવ્યા હતા. ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના ઘણા કલાકારોને બોલાવ્યા હતા. વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







