પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજુરી ન અપાઇ, એરપોર્ટ પરથી જ પરત રવાના કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો પર ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. દરમિયાન, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું, ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા.

આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક

પાકિસ્તાન સરકાર તેમને પાછા બોલાવી શકે છે :- રાજદૂત કે.કે. એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત મુલાકાતે ગયા હોવાના અહેવાલ છે. પરંતુ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પર રોક્યા અને ત્યારબાદ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. જોકે, યુએસ વહીવટીતંત્રના આ પગલા બાદ હવે રાજદ્વારી પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં રાજદૂત વાગનને ઇસ્લામાબાદ પાછા બોલાવી શકે છે.

આ પણ વાંચો :- મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

વિદેશ મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો :- આ ઘટના અંગે વિદેશ મંત્રી ઇશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાન વિદેશ સેવા સાથે સંકળાયેલા છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી છે. આ ઉપરાંત, તેમણે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટમાં ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ, મસ્કતમાં પાકિસ્તાનના રાજદૂત અને નાઇજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં પણ સેવા આપી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, મોદી સરકારે રાફેલની ખરીદી માટે આપી મંજૂરી

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે.  મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે, ઓપરેશન સિંદૂર દરમિયાન, આખી દુનિયાએ રાફેલ ફાઇટર જેટની શક્તિ જોઈ, ભારતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *