Kutch : કચ્છમાં એકસાથે સાત વાહનો વચ્ચે ભયંકર અથડામણ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

કચ્છમાં નેશનલ હાઈવે ગોઝારો બન્યો છે એક સાથે સાત વાહનો વચ્ચે ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર અકસ્માતની વણઝાર જોવા મળી. સાત વાહનોની અથડામણ થતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજયું જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ

એકસાથે સાત અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર એકસાથે સાત વાહનોની અથડામણ થવાની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે રવાના થઈ હતી. વહેલી સવારે કટારીયા બ્રિજ નજીકના હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અને ટ્રક પાછળ ટેમ્પો બાદ એસટી બસ સહિત નાના વાહનો મળી કુલ સાત વાહનોની અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો. સાત વાહનોની ટક્કરના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. હાઈવે પર થયેલ આ ભયાનક અથડામણની આસપાસના સ્થાનિકોને જાણ થતાં વહેલી સવાર હોવા છતાં લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ટ્રકનો આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો છે. જ્યારે પાછળ આવતી ગુજરાતની એસટીબસમાં આગળના કાચનો ભાગ બહુ ખરાબ રીતે તૂટી ગયો છે. બસમાં કેટલા લોકો મુસાફરી કરતાં હતા તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી. તેમજ એસટી બસની પાછળ આવતા નાના વાહનો પણ એકપછી એક અથડાતા નેશનલ હાઈવે પર સાત વાહનોની ભયંકર અથડામણ થઈ. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી મૃતકના મૃતદેહને હોસ્પિટલ માટે મોકલી આપ્યો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *