ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ હોસ્પિટલને PMJAYમાંથી કરાઈ સસ્પેન્ડ, 23.15 લાખનો ફટકાર્યો દંડ

ગુજરાતમાં દિવસેને દિવસે હોસ્પિટલોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજ્યની પીએમજય યોજનામાંથી વધુ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં આ હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PMJAYમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડૉક્ટર ગેરહાજર હતા.

6 મહિના માટે સસ્પેન્ડ :- હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં ગોટાળા નિકળ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે PMJAYમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્જરી કરતા ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી. જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 9227723005 પર વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *