પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ વિભાગની ટીમે કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

B INDIA પાટણ :  પાટણમાં ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે.આપને જણાવી દઈએ કે, કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે. કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી.

થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો હતો.

Related Posts

આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!

આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *