અમદાવાદમાં પરિણીતાનો ત્રણ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટનાં સામે આવી છે. જ્યાં એક પરિણીતાએ તેના સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લેતાં માતા અને પુત્રનું મોત નીપજ્તાં ભારે અરેરાટી મચી છે. સાથે જ એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ ઘટનાને પગલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પરિણીતાએ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રસાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ આત્મહત્યા પહેલા સ્યૂસાઇડ નોટ પણ લખી હતી.

-> પતિના હાથે સિંદૂર ન પુરવતા :- આ સુસાઇડ નોટમાં મહિલાએ મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા ન હતા. ત્યારે પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઇ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે બીજી તરફ પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પતિ તથા અન્ય નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *