મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરાના છ યુવાનોના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ તમામ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. તેઓ ઈકો વેનમાં સવાર હતા. રસ્તામાં તેમની વેનને રોંગ સાઇડથી આવી રહેલા એક ટ્રોલાએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વેનના ફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એક અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગમખ્વાર અકસ્માત આ દુર્ઘટના ધાર જિલ્લાના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાતથી આવેલા યુવાનો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ…
9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

