આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે મેચ, ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. ગુજરાત બહારથી પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યાં છે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

-> ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં :- ભારત VS ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી હવે ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે.

-> બુક માય શો પરથી પણ મળી શકશે ટિકિટ :- આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું વેચાણ 9 ફેબ્રુઆરી રવિવારથી શરૂઆત થઈ ગયું હતુ. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો રૂ.1500થી લઈને 12,500 સુધીની ટિકિટ ખરીદી રહ્યા છે. મેચની ફિઝિકલ ટિકિટનું વેચાણ શરૂ થઇ ગયુ છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ની ​​જાહેરાત પ્રમાણે, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે BookMyShow એપ અથવા વેબસાઇટ પર શરૂ થઈ ગયુ હતુ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ, મેચની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે.

Related Posts

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો

વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *