B INDIA સુરત : દિલ્હીમાં જીતને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દિલ્હીવાળાએ દિલ જીતી લીધું’. દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે.દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. ભારતની સેના પર આરોપ અને પ્રશ્ન કરનારાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીવાળાને હવે ડબલ એન્જીન સરકાર મળતાં અનેક ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળશે. નોંધનીય છે કે, આજે સવારથી દિલ્હી ચૂંટણીના વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ દેખાય છે અને આપ પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી.
-> સુરતમાં મિલેટ્સ મહોત્સ્વ :- સુરત મહાનગરપાલિકા અને ખેતીવાડી વિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમ્યાન મિલેટ્સ મહોત્સ્વનું આયોજન હાથ ધરાયું છે. મિલેટસ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી જ્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુ મિલેટસ ઉત્પાદનોની ખરીદી માટે વનિતા વિશ્રામ ખાતે મિલેટસ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે.






