ચૂંટણીનાં પરિણામોને લઈને હર્ષ સંઘવીએ કહ્યું- ‘દિલ્હીવાળાએ દિલ જીતી લીધું’

B INDIA સુરત : દિલ્હીમાં જીતને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દિલ્હીવાળાએ દિલ જીતી લીધું’. દિલ્હીવાળા હવે લાંબા વર્ષો બાદ નવી સરકાર બનાવશે.દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. ભારતની સેના પર આરોપ અને પ્રશ્ન કરનારાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીવાળાને હવે ડબલ એન્જીન સરકાર મળતાં અનેક ક્ષેત્રોમાં વિકાસકાર્યોને વેગ મળશે. નોંધનીય છે કે, આજે સવારથી દિલ્હી ચૂંટણીના વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ દેખાય છે અને આપ પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી.

-> સુરતમાં મિલેટ્સ મહોત્સ્વ :- સુરત મહાનગરપાલિકા અને ખેતીવાડી વિભાગ દ્વારા 8 અને 9 ફેબ્રુઆરી દરમ્યાન મિલેટ્સ મહોત્સ્વનું આયોજન હાથ ધરાયું છે. મિલેટસ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી જ્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુ મિલેટસ ઉત્પાદનોની ખરીદી માટે વનિતા વિશ્રામ ખાતે મિલેટસ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *