અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. તો બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સૌથી વધારે શ્વાનનો આતંક વર્તાઈ આવ્યો છે.

બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે,જેમાં 24 કલાક દરમિયાન 15થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. લોકો રોડ પરથી જઈ રહ્યાં હોય તો શ્વાન અચાનક આવીને બચકું ભરીને જતા રહેતા હોય છે. અમરેલી હોસ્પિટલમાં શ્વાન કરડવાને લઈ અલગ-અલગ કેસો નોંધાયા છે. 1 શ્વાનને હડકવા હોવાની આશંકા સેવાઈ રહી છે.

-> તંત્ર દ્વારા નથી કરતી કોઈ કામગીરી :- શહેરમાં શ્વાનનાં આતંકનાં પગલે સ્થાનિકોઓએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાને આ બાબતે જાણ છે તેમ છત્તા તે કામગીરી કરતી નથી અને શ્વાનને પાંજરે પૂરતી નથી,નગરપાલિકામાં સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ નહી આવ્યું હોવાની વાત સામે આવી છે.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *