નિવૃત્તિ પહેલા જ IPS અભય ચુડાસમાનાં રાજીનામાથી અનેક તર્કવિતર્ક

નિવૃત્તિ પહેલા જ ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા 1999ની બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓક્ટોબર વયનિવૃતિ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. IPS અભય ચુડાસમા આગામી ઓક્ટોબર માસમાં નિવૃત્ત થવાના છે ત્યારે વયનિવૃત્તિ પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે.

-> રાજકારણમાં આવશે અધિકારી? :- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. જો કે અગાઉ એક કાર્યક્રમમાં આઈપીએસ અધિકારીએ આ અફવાઓને પહેલા જ રદિયો આપી દીધો હતો.

ગીર સોમનાથાનના કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જ્યારે અભયસિંહ ચુડાસમાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા ત્યારે તેમણે રાજનીતિમાં પ્રવેશને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્પષ્ટ વાત કરી કે હું કયારે પણ રાજકારણમાં જોડાઈશ નહીં. મારું ક્ષેત્ર રાજનીતિ નથી પરંતુ હું નિવૃત્તિ બાદ સામાજિક કામો કરીશ.

ખાસ કરીને હું શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડવા માંગુ છું. જણાવી દઈએ કે આજે અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છું અને હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. એટલે કે અભયસિંહ ચુડાસમા હાલ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *