રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરુ, હવામાન વિભાગે કહ્યું- આગામી 24 કલાકમાં વધશે ઠંડીનું જોર

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો ગઈકાલથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. જેના લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આવામાં માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી શકે છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે.

જ્યારે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાનના પૂર્વાનુમાન વિશે તેમણે જણાવ્યું કે, અહીં લધુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી નોંધાયું છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરના પવનોને કારણે તાપમાન નીચું જશે.

સાથે જ દક્ષિણ રાજસ્થાન તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની સંભાવના છે.નોંધનીય છે કે, હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી, આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *