દિલ્હીના સીએમ આતિશી સામે કેસ નોંધાયો, આચાર સંહિતા ઉલ્લંઘન, પોલીસ સાથે ગેરવર્તન સહિતના આરોપ

ગઈકાલે રાત્રે ગોવિંદપુરીમાં થયેલા હંગામા અંગે દિલ્હી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગોવિંદપુરી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આતિશી પર ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.દિલ્હી પોલીસે આતિશીના સમર્થકો સામે બીજો એક કેસ પણ નોંધ્યો છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે તેમણે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું. ચૂંટણી પંચના સભ્ય બનીને તેમણે રમેશ બિધુરીના ભત્રીજાનો રસ્તો રોકી દીધો.

-> રાજીવ કુમાર ચૂંટણી પ્રક્રિયાના કેટલા લીરા ઉડાવશો: આતિશી :- દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યા પછી, સીએમ આતિશીએ એક X પોસ્ટમાં કહ્યું, “ચૂંટણી પંચ પણ અદ્ભુત છે. ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પરિવારના સભ્યો ખુલ્લેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.” . મેં ફરિયાદ કરી અને પોલીસ અને ચૂંટણી પંચને ફોન કર્યો તો તેમણે મારી સામે જ કેસ દાખલ કર્યો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, તમે ચૂંટણી પ્રક્રિયાના કેટલા લીરા ઉડાવશો

દિલ્હી પોલીસ ડીસીપીએ જણાવ્યું હતું કે આતિશી 4 ફેબ્રુઆરીની રાત્રે ફતેહ સિંહ માર્ગ પર ઘણા લોકો અને વાહનો સાથે હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની સાથે 50 થી 70 લોકો અને લગભગ 10 વાહનો હતા. આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની ફરિયાદ પર ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ BNS ની કલમ 223 અને RP એક્ટની કલમ 126 હેઠળ નોંધવામાં આવ્યો છે.

-> આવતીકાલે મતદાન :- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થવાનું છે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે અને કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 36 બેઠકોની જરૂર હોય છે.

Related Posts

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *