હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય છે. ત્યારે તમે એવું કહો કે હું ભાજપમાં છું એટલે અધિકારીઓ તરત તમારૂ કામ કરી આપે છે. ભાજપ સરકારે આ બધાને સુખી કર્યા હોવાની વાત નીતિન પટેલે જાહેર મંચ પરથી કરી હતી.

-> ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન :- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ કોઈ પણ સમયે મીડિયા સમક્ષ સાચું બોલી જતા હોય છે. ત્યારે આજે નીતિન પટેલે તેમના મનની વાત કહી હતી. અને હાલમાં નીતિન પટેલ ભાજપના અગ્રણી તેમજ મહેસાણાના અગ્રણી નેતા છે. નીતિન પટેલનો કહેવાનો મતલબ એમ હતો કે,ભાજપનું નામ દઈએ તો કયાંય પણ કામ પતી જાય છે.

-> રાજકારણમાં દલાલો વધી ગયા છે : નીતિન પટેલ :- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે.

Related Posts

જામનગરમાં ચાંદીપુરાની દહેશત: વધુ 3 બાળ દર્દીઓનાં મોત, શંકાસ્પદ મૃત્યુઆંક 9 થયો

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ બાળ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા સંબંધિત શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધી કુલ 9 બાળકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળ દર્દીઓની સંખ્યા અગાઉ પાંચ સુધી પહોંચી હતી. જોકે, ત્રણ દર્દીઓનાં મોત બાદ હવે હોસ્પિટલમાં બે બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીઓની સારવાર અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધ્રોલના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ ધ્રોલ પંથકના એક બાળકમાં ચાંદીપુરા…

Jharkhand Rahul Gandhi On Jharkhand Police Lathicharge 2026 રાહુલ ગાંધી ઝારખંડ નિવેદન: ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ મુદ્દે રાહુલ ગાંધીનો વિરોધ, કહ્યું- આ ખોટું છે Strong Opposition

Jharkhand ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટો ગણાવી સરકાર પાસે જવાબદારી અને ન્યાયની માંગ કરી. Jharkhand ઝારખંડમાં પરીક્ષા અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટું ગણાવતા કહ્યું છે કે પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહેલા યુવાનો સાથે દમનાત્મક વલણ અપનાવવું યોગ્ય નથી. આ ઘટનાને કારણે ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો મુદ્દો હવે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રક્રિયા અને ભરતી સંબંધિત પોતાની માંગણીઓ સાથે રસ્તા પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *