B INDIA BOTAD : બરવાળા ખાતે આવેલ શ્રી લક્ષ્મણજી મંદિરમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ઇશ્વરદાસજી મહારાજ નો વંસત પંચમી ના દિવસે તારીખ.૨/૨/૨૦૨૫ ના રોજ ૧૦૪ મો જન્મદિવસ ( પ્રાગટય દિવસ) મનાવવામાં આવ્યો હતો જેમાં ૩૦૦૦ જેટલી માં દુર્ગા સ્વરૂપ દિકરાઓને પગ ધોઇને પૂજન કરવામાં આવેલ અને તેમને ભોજન કરાવી ઉપહાર અને દક્ષિણા અર્પણ કરવામાં આવેલ જેમા ૧૫૧- કીલો પેંડા દરેક દિકરીઓને દશ-દશ રૂપિયા અને એક-એક ગળામાં પહેરવાનો હાર આપવામાં આવ્યો.