અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

-> અગાઉ અકસ્માતની 4 ઘટના બની હતી :- સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષિકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *