IT એન્જિનિયરની ધરપકડ, દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં કરતો વેચાણ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 1.73 લાખની કિંમતનું 17 ગ્રામ્ 360 મીલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ આરોપી મોટેરા વિસ્તારમાં રહે છે. અને IT એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચુક્યો છે. પહેલા તે પોતે ડ્રગ્સનો બંધાણી બન્યો અને બાદમાં વેચાણ શરૂ કર્યું અને દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતો હતો.

આરોપી ડિલિવરી કરનાર શખ્સ પાસેથી આ ડ્રગ્સ લઈને પોતાની કારમાં ઓઢવથી મોટેરા તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું તે આ રીતે 7 થી 8 વાર ડ્રગ્સ દિલ્હીથી મંગાવીને અમદાવાદમાં વેચાણ કરી ચુક્યો છે. તેમજ તે પોતાનાં નક્કી કરેલા ગ્રાહકોને જ આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો.હાલ તો SOGએ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને તેને ડ્રગ્સ આપવા માટે આવનાર ડિલિવરી બોય અને દિલ્હીથી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *