અમેરિકામાં યાત્રી વિમાન-આર્મી હેલિકોપ્ટર વચ્ચે ટક્કર,બન્ને નદીમાં પડ્યા,19 મૃતદેહ મળ્યા

વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) નજીક એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન હવામાં જ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 64 મુસાફરો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. પીએસએ એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.

રોઇટર્સના અહેવાલ મુજબ, અકસ્માત બાદ, વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દા પર, યુએસ સેનેટર ટેડ ક્રુઝે ટ્વિટ કર્યું કે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. જોકે, મૃત્યુઆંકની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

-> વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો :- બીએનઓના અહેવાલ મુજબ, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 5342 એક આર્મી હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી, ત્યારબાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા હતા. આ સમયે વિમાનમાં 64 અને હેલિકોપ્ટરમાં 3 લોકો હતા. અકસ્માત બાદ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમેરિકાના વિમાન દુર્ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન, નદીમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, એવી આશંકા છે કે મૃત્યુઆંક આનાથી વધુ વધી શકે છે.

Related Posts

કૃષિ ક્ષેત્રના યોગદાનને સલામ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો ભવ્ય સમારોહ

ભારત એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીનતા, પ્રગતિ અને આત્મનિર્ભરતાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડતું રહ્યું છે. ખેતી માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ…

ધુરંધર-2 માં અતીક અહમદની કહાની: હકીકત કે પ્રોપેગાંડા? ISI કનેક્શન અને ફેક કરન્સીની સ્ટોરી કેટલી સાચી?

ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત સીક્વલ ફિલ્મોમાંથી એક ધુરંધર-2  19 ફેબ્રુઆરી, શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર એ આ ફિલ્મમાં અપરાધ અને રાજકારણ વચ્ચેના એ ગાઢ સંબંધને પડદા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *