હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે? જૂનાગઢમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-“લેબગ્રોન ડાયમંડને કારણે…”

B INDIA ગાંધીનગર :  હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. દિવાળી બાદ નાના કારખાના હજી ખુલ્યા નથી, તો બીજી તરફ મોટા કારખાના પણ અન્ય જગ્યા પર નોકરી શોધો એવી વાતો કરી રહ્યા છે, અને આ તમામ ની વચ્ચે હવે રત્નકલાકારોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે.

જુનાગઢમાં એક કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે, આ લેબગ્રોન ડાયમંડના કારણે હિરા ઉદ્યોગમાં મંદી થવા પામી છે.

સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભાયનક મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકો ની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.

Related Posts

ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે સરકાર સક્રિય, કાલની કેબિનેટ બેઠકમાં થઈ શકે મહત્વપૂર્ણ ચર્ચા

રાજ્યમાં ખેતીની જમીનમાં વીજપોલ ઉભા કરવા બદલ ખેડૂતોને વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર સક્રિય બની છે. ખેડૂતોના સતત વિરોધ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર હવે વળતર અંગે નવી નીતિ ઘડવાની…

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *